Tuesday 15 August 2017

Jain Trustee : जैन महाजन परंपरा के ट्रस्टी कैसे हो! कहीं आप साहब ट्रस्टी तो नहीं?


प्राचीन जैन महाजन परंपरा के ट्रस्टी                       वर्तमान में दिखने वाले ट्रस्टी  

ट्रस्टी विचारणा


कुछ समय पूर्व हुए संमेलन के पहले एक आपसी मिलन में अत्यंत प्रसिद्द आचार्य भगवंतने
एक बात रखी थी : श्री संघ के ट्रस्टी बनने हेतु एक आचार मर्यादा एवं ट्रस्टी बननेका 
क्वोलीफिकेशन बनना चाहिये, सिर्फ पैसो के जोर पर बनते गैर-जिम्मेदार-व्यसनी ट्रस्टीओ 
श्री संघ की गरिमा घटाते हे एवं उन्होंने कहा : 
"कम से कम मामूली से मामूली मर्यादा ऐसी रहनी चाहिए की ट्रस्टीपद निभाने वाले व्यक्ति
सातव्यसन के सेवन से दूर हो! "

जमींकंद-रात्रिभोज त्याग की बाते तो आज के युग में जैसे असंभवीत सी प्रतीत हो रही हे| 
जिनशासन के भावी की चिंता हो ऐसी पल आ पहुंची हे| बदकिस्मती से संमेलन में इस 
मुद्दे को चाहिए उतना महत्व नही दिया गया..रह गया....

शास्त्र कहते हे, प्रभु की आज्ञा के प्रमाण से : निस्वार्थ भाव से संघ की सेवा करने वाले 
प्रशासक को तीर्थंकरनाम की प्राप्ति होती हे! 
पर यह बात उसी ट्रस्टी को समज में आएगी जो ट्रस्टी व्याख्यान में आता हो| 
तिन प्रकार के ट्रस्टी देखने को मिलते हे|

१, संघसेवक, 
सही अर्थ में श्री संघ के सेवक बनकर रहे,समय-शक्ति,संपति सभी चीज का यथाशक्ति 
कभीकबार तो शक्ति के अलावा - खर्च करता रहे| संघ हेतु अपना अहं,स्वमान,बुद्धिको भी 
एक तरफ रखकर संघ की ओर पूज्य गुरुभगवंतो की सेवा-वैयाव्च्च करे| 
सही और योग्य ट्रस्टी इन्हें कहा जाए|

२,संघ सहायक
इस प्रकार समय न दे पाये किंतु सहाय करे; संघ के किसीभी कार्य में खड़े रहे,
प्रसंग में आये-जाए| कार्यकर्ता और साथी ट्रस्टियो के पास साहस से अपनी
गैर-मोजुदगी की गलती का स्वीकार करे और कामकाज का पूछे!

अब आता हे नंबर
३,साहब 
इनके अप लक्षण दिखाऊ आपको,
संयमी महात्माओ के प्रति बहुमान-सदभाव का सदंतर अभाव,
प्रवचन के दौरान अनिवार्य रुप से गैर-हाजर,
आराधको के साथ अशिष्ट व्यवहार,
पैसो के दम पर मनचाहा कराने की मंछा,
जोर और ताकत बताने की विकृत मानसीकता,
चढ़ावे और उछामणी के समय उनका पावर सपाटी पर देखने को मिले. - 
मैंने ऐसे भी ट्रस्टी देखे हे जिनके लिए कलम को लिखने में भी शर्म महसूस हो|

लंपट ट्रस्टियो की बाते तो सुनी थी किंतु अब तो दारु पिने वाले एवं जुआरी ट्रस्टी भी देखने मिलते हे !
रात को नो बजे के बाद मीटिंग हो तो 'साहब' आ नहीं पायेंगे... क्यों की उसके बाद उनके पैरो का गरबा 
प्रोग्राम होता हे| आघात और पीडा अकथ्य हे, उनकी बोतल-शोतल पूजन की सभी को जान होती हे 
किंतु उस रहमदार-नेक नामदार की सखावत के आगे 'बगावत' नहीं हो शकती| कितनी करुणता!

एक दीक्षा प्रसंग में प्रभुजी की नाण के समक्ष ही दुनिया जिनकी तारीफ़ करते नहीं थकती ऐसे 
'साहब' कुर्सी पर पैर पे पैर चढ़ाकर मुंह में तंबाकू के मसाले चबाते हुए बैठे देखने को मिले तब 
हमारे समाज की पैसे और परस्ती पे धृणा हो उठी|

एक वृद्ध ट्रस्टीको चौमासी देववंदन में और प्रतिक्रमण आदि क्रिया में स्तवन गाते देख  
ह्रदय आनंद से भर गया था| मार्क कीजिये, हमारे कितने ट्रस्टीयो पौषध-प्रतिक्रमण-देववंदन 
प्रवचन जैसी आराधना में जुड़ते हे? सादगी से सज्ज, खादी के वस्त्र,धोती और सिर पर टोपी|
ऐसे प्रशासक की पूज्योभी शर्म भरे| महाजन की परंपरा याद आये|
इन्हें कहलाये संघ सेवक|

आवश्यक क्रियाओ के साथ जिन्हें आपसी नाता हो ऐसे ट्रस्टी के साथ छोटे छोटे महात्मा भी 
बैठ के चर्चा करे, और ऐसे आराधक ट्रस्टी महात्माओ के साथ भी गौरवपूर्ण व्यवहार करे की 
ट्रस्टीपद की गरिमा और शोभा प्रज्वलित हो उठे| बाकी वो तिन नंबर वाले तो पूज्यो के साथ-
साध्वीजी के साथ ऐसा आचरण करते होते हे की उन्होंने 'संघ' खरीद लिया हो!
गुरूभगवंतो के साथ असद्व्यवहार व्यक्ति और व्यक्तिसमूह की दुर्दशा का कारण बनती हे|
सावधान  रहना : संस्कृत साहित्य का एक श्लोक हे |

जहां अपूजनीय की पूजा हो और पूजनीय का अपमान हो 
वहां दुष्काल-मृत्यु और भय के  साम्राज्य की स्थापना होती हे!!

हमारे आसपास, हमारे संघमें सज्जन और साधूपुरुष की उपेक्षा होती हो और 
दुर्जनों को घी-केले दिए जाते हो तो समयोचित रूप से जाग जाये!


कोलम : साची वात
ह्रदय परिवर्तन
अप्रैल - २०१७ 
गुजराती से हिंदी अनुवादित 


Read More »

Tuesday 14 March 2017

Jain Shwetamber Girnar Tirth History...

શ્રી જૈન શ્વેતાંબર તીર્થ ગીરનાર ની યશોગાથા 


શ્રી નેમિનાથ પ્રાસાદ - ગીરનાર

સોરઠ ની શૌર્યવંતી ભૂમિએ અનેક ઐતિહાસિક પ્રસંગો ની હારમાળા ને કારણે ગુર્જર દેશ ને ગૌરવવંતો બનાવ્યો છે 

સંઘપતિ ધનશેઠ સંઘ સાથે ગિરનાર ની ગોદમાં યાત્રા નો પ્રારંભ કરે છે.
મહારાષ્ટ્ર થી કટ્ટર દિગંબર પંથ ના અનુયાયી વરુણ શેઠે 
ધનશેઠ એ ચડાવેલ પુષ્પ ની માળા ,કિંમતી અલંકારો ઘડી બે ઘડી માં હતા ન હતા જેવા થઈ ગયા 
અને બરાડી ઉઠ્યા વીતરાગી ને વળી રાગ ના સાધનો ની શી જરૂર છે ?

ધનશેઠ બોલ્યા અમારી પૂજા માં અંતરાય કરનાર તમે કોણ ?

વરુણ શેઠ - આ તીર્થ અમારું છે તમે તો આજ કાલ ના પેદા થયેલા છો !

ધન શેઠ - આ તો અમારા પક્ષ ની કરુણા કહો કે તમને યાત્રા કરવા મળે છે 
પ્રભુની અંગ રચના માત્ર થી જો પ્રભુ રાગી થઈ જતા હોય તો દિગંબરો દ્વારા થતી રથ યાત્રા માં રાગી ના થાય ?
વીતરાગી ને વળી રથ માં બેસાડવા ના અરમાન કેમ? જો અલંકારો થી રાગી થાય તો સ્ત્રી ના સ્પર્શ થી વીતરાગી કહેવાય? 

વરુણ શેઠ - ખબરદાર! જો તમારે અમારી પદ્ધતિ થી પૂજા કરવી હોય તો થશે અન્યથા સજા ભોગવવા તૈયાર રહો.. 

ધન શેઠ -જય નેમિનાથ ના નાદ સાથે આજે કેસરીયા કરીને રહિશુ પછી ભલે મસ્તક વધેરાઇ જાય!
આ જોઈ ને ઉભયપક્ષ ના લોકો એ વાત ને થાળે પાડવા વિક્રમ રાજા ના દરબાર માં ભેગા થયા. 

બન્ને ની ફરિયાદો સાંભળતા મુદ્દો ગંભીર લાગતા બીજા દિવસે નિર્ણય કરવાનુ કહ્યુ. 

રાતે અંબીકા દેવી નુ સ્મરણ કર્યુઁ ત્યાં જ દેવી પ્રગટ થતા કહ્યુ : સત્ય તો દૂધ અને પાણી ની જેમ છૂટા પડી જાય છે. 
તમે નિશ્ચિંત રહેજો અને એક યુક્તિ આપી ને ગયા. 

બધા ચાતક ચિત્તે ઉત્સુક હતા 
ધન શેઠ - અમે લોકો નિત્ય અમારા ચૈત્ય વંદન માં શ્રી ગિરનાર તીર્થ નુ સ્મરણ કરીયે છીયે -
એ  જ મોટો પૂરાવો છે કે આ તીર્થ અમારું છે!
વિક્રમ રાજા એ વરુણ શેઠ ને પૂછ્યુ તમારા કોઈ ગ્રંથ માં છે ગિરનાર ની પંક્તિ કે અન્ય કંઈ?
વરુણ શેઠ અવાક થઈ ગયા તેમ છતા કોઈ એમના ગ્રંથ માં ઉલ્લેખ ના મળતા કોઈક કુતર્કો કર્યા 
પણ એને હાસ્યાસ્પદ ગણાવી ધન શેઠ ની વાત માન્ય રાખવા નુ કહ્યુ. 

છેલ્લે વરુણ શેઠ ને મનમાં વિચાર આવ્યો કે સંઘ ના દરેક યાત્રિકો ને આ ગોખાવી દીધુ હોય તો? 
આવી શંકા થી સંઘ ના સિવાયની વ્યક્તિ પાસે બોલાવવા નુ  કબૂલ કર્યુઁ!
રાજસેવકો આજુબાજુ ના ગામ માં થી નાની છોકરી ને લઈ ને આવે છે અને ત્યારે 
ધન શેઠ કહે છે આ અમારી નાનકડી છોકરી પણ કહી દેશે 

અને છોકરી એ સિદ્ધ સત્વ સિદ્ધાણં બુદ્ધાણં ચાલુ કર્યુઁ 

"ઉજ્જિંત સેલ સિહરે દિક્ખા નાણં નિસિહિઆ જસ્સ ,
તં ધમ્મ ચક્ક્વટ્ટીં અરિઠ્ઠનેમિ નમંસામિ 

ઉજ્જયંતગિરિ (ગિરનાર )ના શિખરે દીક્ષા કેવલજ્ઞાન અને નિર્વાણ આ ત્રણ કલ્યાણક થયા છે 
તે ધર્મચક્રવર્તી શ્રી નેમિનાથ પ્રભુ ને હું નમસ્કાર કરૂ છુ. 

આ બાલ કન્યા ના વચનો પૂર્ણ થતાં ની સાથે ચારેકોર પુષ્પવૃષ્ટિ થઈ અને  
વિક્રમ રાજા આ તીર્થ શ્વેતાંબર નુ છે એ નિર્ણય જાહેર કરતા હર્ષનાદ ના પડઘા ગિરિવર પર ગુંજી ઉઠ્યા. 

ધનશેઠ મનોમન અંબીકા દેવી ની યુક્તિ નુ સ્મરણ કરી આનંદ વિભોર બની ગયા 
જય ગીરનાર ,જઈયે ગીરનાર

(સાભાર : અનુપ્રેક્ષા)
Read More »

Wednesday 8 February 2017

Mahopadhyay Shree Yashovijayji Maharaja

મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા 



પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા
(તસ્વીર સાભાર : શ્રી પ્રેમલ કાપડિયા કૃત શ્રીપાલ રાસ)


ઉપાધ્યાય ભગવંતોમાં શિરમોર સ્થાને કોઇનું સ્મરણ થતું હૉય તૉ તે છે 
ન્યાય વિશારદ મહોપાધ્યાય યશોવિજયજી તેમનુ પાંડિત્ય અપૂર્વ હતુ.
તેમની કવિ શક્તિ બેનમૂન હતી ઉત્સુત્રો ની સામે પ્રચંડ પડકાર ફેંકવાની તેમની નીડરતા- આશ્ચર્યજનક હતી યતિસંસ્થા ના શિથિલાચાર ની સામે અને મૂર્તિ પૂજા ના ખંડન સામે તૉ 
તેઓ જોરદાર બલ થી ત્રાટકયા હતા



  • મહોપાધ્યાયજી ની દીક્ષા પાટણ માં પંચાસરા પાર્શ્વનાથ જિનાલય ની બાજુ માં પોલિયા ના ઉપાશ્રય માં થઇ હતી.

  • સાકર ના કણ કણ માં જેમ મીઠાશ છે તેમ મુનિ શ્રી ની મતિ શ્રુતજ્ઞાન 📖📚માં વ્યાપી હતી.

  • જંબુ સ્વામી રાસ માં એમણે લખ્યુ છે કે માં શારદા એ પ્રસન્ન થઈને તે વખતે                                                   તર્ક અને કાવ્ય નું ઉચ્ચ વરદાન આપ્યું હતુ.

  • કાશી ના ભટ્ટાચાર્ય એ તેમના માટે કહ્યુ કે મારી વિધા જો કોઈ માં સંક્રમિત થઇ હૉય તૉ                                   તે એક માત્ર આ જૈન મુનિ છે હવે તેમને આપી શકાય તેવું મારી પાસે કંઈ જ નથી.

  • તેમનો ભણવાનો તમામ ખર્ચ ઉપાડનાર ધનજીભાઈ સૂરા હતા.

  • તેઓ શ્રી વિજયપ્રભસૂરી ના હસ્તે ઉપાધ્યાય પદે આરૂઢ થયા હતા.

  • તેમની 11 અંગ ની સજ્જાય માં : 
           ખાંડ ગળી સાકર ગળી વલી અમૃત ગળ્યું કહેવાય ; માહરે તૉ મન શ્રુત આગલે તે કોઈ ના આવે દાય.

  • સંસ્કૃત પ્રાકૃત ગુજરાતી ગદ્ય પદ્ય ટીકા, સંક્ષેપ વિસ્તાર, રૂપાંતર, નિચોડ,
        તર્ક આચાર, કાવ્ય સાહિત્ય, દર્શન યોગ, અધ્યાત્મ, ખાલી વિષયો ગણાવામાં આપણી   
        કલમ થાકી જાય.

  • એક વખત પ્રતિક્રમણ માં ટૂંકી સજ્જાય લેતા એક શ્રાવકે 

           "કાશી માં રહીને ત્રણ વરસ ઘાસ કાપ્યું ?" એવું કહેતા  
           બીજા દિવસે આ શ્રુત પુરુષે નાભિમાંથી સ્વર કાઢ્યો ધીરે ધીરે સમય પસાર થયો.
           ગઈ કાલ વાલો શ્રાવક - ધ્યાન માં છે ને કેટલો સમય પસાર થયો? 
           પૂજ્ય શ્રી - ત્રણ વર્ષ જે ઘાસ કાપ્યું એના પૂલા બંધાય છે! 
           તે દિવસે સમ્યક્ત્વ ના અડસઠ બોલ ની સજ્જાય ની મહામૂલ્યવાન કૃતિ ની 
           શ્રી સંઘ ને ભેટ મલી.

  • વિ.સં .૧૭૪૩ નું ચાતુર્માસ માં ડભોઇ અનશન કરી સમાધિ મરણ ને વર્યા. 
          આજે પણ ત્યા સ્તૂપ વિધમાન છે. કહેવાય છે કે એમનો સ્વર્ગવાસ દિવસે 
           વાતાવરણમાં થી ન્યાયનો અદ્રશ્ય ધ્વની પ્રગટ થતો સાંભલવામાં આવતો હતો.

  • એમના સમકાલીન વિધ્વાનો એ એમને " કલિકાલકેવલી" તરીકે પ્રંશંસ્યા છે.




સદા અધ્યાય ની નજીક(ઉપ) માં જ રહે માટે તેમને ઉપાધ્યાય કહેવા માં આવે છે.
સહુ ના આશ્રયદાતા હોવાથી વૃક્ષ જેવા છે આથી જ એમનો વર્ણ લીલો છે.


  • 5 ઓષ્ઠય અક્ષરો નો ઉપયોગ કર્યા વિના વાદ કરી ને પ , ફ , બ , ભ , મ 
          આટલા ના આવા જોઇયે એમાં ખંભાત માં વાચાલ પંડિત ને હરાવવો.
  • રોજ નીત નવા સ્તવન અને સજજાય નું સર્જન કરીને પ્રતિક્રમણ માં બોલવા.

  • લેખન ની ધારા ને અતૂટ રાખવા માં ઘણી વખત સાંજ નું પાણી પણ વાપરવા નું 
રહી જતુ વગેરે અઢલક વિશિષ્ટતા ના સ્વામી આ શિષ્ટતમ સાધુ રત્ન ની કયા શબ્દો માં અનુમોદના કરવી ? 

બસ,માત્ર એ લઘુ હરિભદ્ર ને કોટી કોટી વંદન કરીને જ વિરમું છુ આ મહાપુરુષની શક્તિઓ ના પગે પણ બેસી શકે તેવા મહાપુરુષ એમની પછી આજ સુધીમાં કોઈ થયા જણાતા નથી.
-પ.પૂ ચંદ્રશેખર વિજય મ.સા. (નવપદ ચિંતન )
Read More »

Monday 6 February 2017

To Stop The Loss Of Money (Jainism)

લક્ષ્મી ને જતી રોકવા માટે 




પૂજ્ય પંડિત શ્રી વિર વિજયજી મ.સા. એ "હિતશિક્ષા છત્રીસી"  નામ ના ગ્રંથ માં  શ્રાવક-શ્રાવિકાઓ માટે ની શિખામણ આપેલી છે. જેમાં થી લક્ષ્મી ને જતી રોકવા માટે ની આ શિખામણો નીચે આપેલ છે.


લક્ષ્મી ને જતી રોકવા માટે...


  • ભણવા માં આલસ ના કરવી.
  • લખતી વખતે વાત ચીત ના કરવી.
  • બેનામી અજાણ્યા હવાલા ના કામકાજ વ્યવહારો ના કરવા.
  • હિસાબ કિતાબ સ્પષ્ટ રાખવા એમા આલસ છોડીને તરત જ હિસાબ લખવો.
  • દેવું ના કરવું.
  • કષ્ટ અને ભય વિના ના સ્થાનો માં વસવું. 
  • શ્રીમંતો એ મેલો વેશ કે ફાટેલા કપડા ના પહેરવા મોભા પ્રમાણે અનુદભટ વેશ પહેરવો.
  • પગ થી પગ ઘસી ને ના ધોવા.
  • પાણી માં મોંઢુ ના જોવું. 
  • સ્નાન અને દાતણ વ્યવસ્થિત કરવા. 
  • ખાલી નવરા બેઠા ઘાસ ના તણખલા તોડવા નહીં.
  • જમીન માટીમાં ચિત્રો ,રેખાઓ દોરવા નુ કામ ના કરવું.
  • નિર્વસ્ત્ર સૂવુ નહીં.
  • રાત્રે અરીસા માં મોઢું ના જોવું.
  • ઉઘાડુ મોં રાખીને મોટે થી બગાસુ ખાવું નહીં.
  • સંધ્યા સમયે સૂવુ નહીં. 
  • બે હાથે માથું ખણવુ નહીં.
  • સૂતા સૂતા ખાવું નહીં.
  • બિન જરૂરી ચીજો ઘરમાં ભેગી કરવી નહીં.
  • પગ પછાડવા પગ ઘસીને ચાલવું ઊઁચા આસન પર બેસી પગ લટકતા રાખીને હલાવવા આ બધી ટેવ લક્ષ્મી નો નાશ કરે છે.


પ .પૂ પંડિત શ્રી વીરવિજયજી મ .સા 
હિતશિક્ષા  છત્રીસી

Read More »

Travelling Releted As Per Jainism..


    વિદેશ પ્રવાસ સંબધી 



  • પ્રવાસ કરવા નો હોય ત્યારે યથાયોગ્ય ચિંતા અને હિતશિક્ષા પૂર્વક વાત કરીને પ્રયાણ કરવું. 
  • પૂજ્યો નુ અપમાન કરીને ,પત્ની ને ઠપકો આપીને ,કોઈને માર મારીને કે બાલક ને રડાવી ને નિકલવુ.
  •  જો નજીક ના દિવસો માં વિશેષ પર્વ આવતું હોય તો આરાધી પછી નિકલવુ .
  • તૈયાર થઈ ગયેલા ઉત્સવ ,ભોજન  તથા મંગલ ની ઉપેક્ષા કરીને તેમજ જન્મ મરણ સંબંધી સૂતક પૂરા થયા વિના અને સ્ત્રી ના માસિક વખતે ગમન કરવું નહી .
  • દૂધ પીને ,સ્નાન કરીને ,પત્ની ને મારીને ,ઉલ્ટી કરીને ,થૂંકી ને બીજા કોઈ નો આક્રોશ સાંભળી ને નિકલવુ નહિં. 
  • હજામત કરાવી ને ,આંસુ પાડતા તથા અપશુકન લઇ ને બીજે ગામ પ્રયાણ કરવું નહિં .
  • જ્યારે કોઈ પણ કામ માટે પગ ઉપાડો ત્યારે જે નાડી નો શ્વાસ ચાલતો હોય એ પગ આગલ કરી 
       નિકલતો ઇચ્છિત ને પ્રાપ્ત કરે છે .
  • રોગી ને ,વૃધ્ધ ને ,બ્રાહ્મણ ને ,પ્રજ્ઞાચક્ષુ ને ગાય ને પૂજ્ય પુરુષો ને રાજા ને ગર્ભવતી ને અને 
       ઊંચકી ને ભાર થી નમી પડેલા ને પહેલા માર્ગ આપવો પછી પોતે જવું. 
  • રાંધેલુ કે નહિં રાંધેલુ ધાન્ય ,પૂજા યોગ્ય મંત્ર માંડલુ ,સ્નાન કરેલું કે સ્નાન માટે નુ પાણી ,લોહી અને શબ, થૂંક ,કફ , બલખો,વિષ્ઠા ,સલગતો અગ્નિ ,સાપ ,મનુષ્ય અને શસ્ત્ર આટલા  ને ઓલંગી ને જવું નહિં. 
  • રાત ના વૃક્ષ ના મૂલ નો આશરો કરવો નહિં  ને ઓલંગી ને જવું નહિં .
  • એકલો પ્રવાસ કરે નહી અને દાસ પુરૂષો સાથે પણ પ્રવાસ કરે નહી .
  • મધ્ય રાતે રસ્તે ચાલે નહી .
  • ક્રૂર વ્યક્તિ ,ચાડીયા ઓ કે ખરાબ સાથે વાત ચીતો કે અકાલે ફરવા જવા નુ રાખવું નહી. 
  • ગમે એટલો થાક લાગ્યો હોય તો પણ પાડા ,ગધેડા અને ગાય પર ચડવું નહિં .
  • હાથી થી હજાર હાથ ,ગાડા થી પાંચ હાથ બલદ તથા ઘોડા થી દસ હાથ દૂર રહીને ચાલવું. 
  • ભાથુ લીધા વગર જવું નહિં .
  • મુસાફરી માં દિવસે સૂવુ નહી. 
  • સાથે રહેલા ઓ ના વિશ્વાસ માં રહેવુ નહી .
  • સો કામ આવી પડે તો પણ રાત્રે એકલા જવું નહી. 
  • જીર્ણ ઘસાઇ ગયેલી નૌકા માં બેસવું નહીં .
  • બે ભાઈ હોય સાથે મુસાફરી કરવી નહીં એનુ કારણ અકસ્માત માં આખો વંશ વેલો નાશ પામી જાય નહીં. 
  • જે ટોલા માં બધા જ નેતા હોય બધા જ પોતાને પંડિત માનતા હોય બધા ને જ મહત્વ જોઈતું હોય તો 
       એ ટોલુ માત્ર કષ્ટ જ ભોગવે છે .
  • ફાંસીના સ્થાને જુગાર ના સ્થાને જ્યાં અપમાન થાય એવા સ્થાને જવું નહીં .
  • સ્મશાન માં ,નિર્જન સ્થલે ,ચાર રસ્તા ભેગા થાય ત્યાં ચૌટા માં ખાડા ટેકરા વાલા સ્થાને ઉકરડામાં 
        ખારી ભૂમિ માં પર્વત ની ટોચ પર નદી કે કૂવા ના કિનારા પર રાખ વાલી કે વાલ થી ભરેલી ઠિકરા વાલી અને         અંગારા વાલી જમીન પર રહેવુ નહીં .
  • ખૂબ થાક હોય તો પણ જે સમયે જે કરવા નુ છે તે ચૂકવું નહીં .
  • ઢંગ ધડા વગર નો માણસ પ્રાયઃ અપમાન વગેરે પામે છે તેથી સારા દેખાવા નો આડંબર છોડવો જોઇયે નહીં .
  • પરદેશ માં ઘણા લાંબા કાલ સુધી રહેવું નહીં .
  • કાર્ય ની સિદ્ધિ માટે નવકાર અને ગૌતમ સ્વામી નુ સ્મરણ.  
(અમુક ભાગ દેવ ગુરુ ધર્મ માં વાપરવા નો સંકલ્પ કરવા થી સફળ થવાય છે )

સાભાર : વોટ્સએપ
Read More »