Sunday 19 June 2016

1st Prabhavak Shree Vajra Swami

જૈન શાસનના પ્રથમ પ્રભાવક શ્રી વજ્ર સ્વામી 


પુસ્તક : તે કાળે તે સમયે...(આઠ પ્રભાવકોની આત્મ કથા)
લેખક : મુનિ રાજદર્શન વિજયજી મ.સા.
પ્રકાશક : શ્રી રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ

અષ્ટપદી


નવકારની સંપદા આઠ, પ્રાતિહાર્યો આઠ, જંબુદ્વીપને ફરતી જગતીની ઉંચાઈ આઠ યોજન, 
સિદ્ધના ગુણો આઠ, કર્મો આઠ, અષ્ટાપદ તીર્થનાં પગથિયા આઠ, પર્યુષણ પર્વના દિવસો આઠ,
વ્યંતર દેવો આઠ, વાણવ્યંતર દેવો આઠ, મનુષ્યપણામાં વધુમાં વધુ રહી શકાય આઠ ભવ, 
વીતરાગ પ્રભુને  કરાતી પૂજાનો પ્રકાર આઠ, મંગલ પણ આઠ.આવો અપૂર્વ મહિમા આઠનો છે.  
હજુ પણ આઠ માટે શોધીએ તો ઘણું ઘણું મળી  શકે. આવા જ આ આઠની શૃંખલામાં- 
એક વધુ નામ ઉમેરીએ- આઠ પ્રભાવકોનું. આ પુસ્તકના પ્રકરણો પણ આઠ છે. અને તેમાં 
જૈન શાસનમાં થઈ ગયેલ પ્રભાવક પુરુષોની વાતો કરી છે,  પ્રભાવક પુરુષો પણ આઠ છે.

સમકિતની ૬૭ બોલની સજઝાયમાં કહ્યું છે : ‘‘આઠ પ્રભાવક પ્રવચનનાં કહ્યા’’ 
એવાં આ આઠ પ્રભાવક પુરુષોના જીવનને દર્શાવતી અહિં આઠ કથા આત્મકથાના 
સ્વરૂપે લખી છે. ઘણાં બધા પ્રભાવક પુરુષોના જીવન-કવનને આપણે જાણીએ છીએ 
પણ કયા પ્રભાવક પુરુષો આઠ પ્રભાવકમાં આવે છે તેનો આપણને ખ્યાલ નથી.  
અથવા અલ્પ ખ્યાલ છે. તેથી અહીં આપણે જોઈશું જૈન શાસનના આઠ પ્રભાવક પૈકી

પ્રથમ પ્રાવચનીક પ્રભાવક શ્રી વજ્ર સ્વામીનું ચરિત્ર  


Shree Vajra Swamiji











Jain History 1st Prabhavak Shree Vajra Swami
Source Book : Te kale Te Samye

No comments:

Post a Comment